ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

કલમના કસબી અને વિશ્વપ્રવાસી ડૉ. ભારતી રાણે સાથે દીપ્તિ જોષીનો સંવાદ 15 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30

10 July 2026

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત : જીવન અને કવન વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 9 જુલાઈ, 2026, ગુરુવાર સમય : સાંજના 5-00

04 July 2026

વાચન સમૃદ્ધિ

દેવભૂમિ દ્વારકા

સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણની યાદમાં આ જિલ્લાને દ્વારકા નામ અપાયું છે. આ જિલ્લામાં દ્વારકા, […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

એલિયાસ કાનેટ્ટી

જ. 25 જુલાઈ, 1905 અ. 14 ઑગસ્ટ, 1994 જર્મન ભાષામાં લખતાં સ્પૅનિશ સાહિત્યકાર એલિયાસ કાનેટ્ટીનો જન્મ બલ્ગેરિયાના રુસમાં થયો હતો. તેઓ છ વર્ષના હતા ત્યારે પરિવારે બલ્ગેરિયાથી આવીને ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં વસવાટ કર્યો હતો. 1912માં પિતાનું અવસાન થતાં તેમની માતા બાળકોને લઈને  વિયેના ગયાં. ત્યાંથી ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં પણ રહ્યા. તેઓ 1924માં વિયેના પાછા ફર્યા. 1929માં […]

લેખ

વ્યક્તિ વિશેષ

કર્તવ્યની બલિવેદી પર

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. પૂ. 4 થી ઈ. સ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહનમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક […]

લેખ

પ્રસંગમાધુરી

એલેક્ઝાન્ડર ડુમા

જ. 24 જુલાઈ, 1802 અ. 5 ડિસેમ્બર, 1870 19મી સદીના પ્રખ્યાત ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર ડુમા ઇતિહાસમાં સૌથી વધુ વંચાયેલા ફ્રેન્ચ લેખકોમાંના એક છે. તેમની રસપ્રદ ઐતિહાસિક-સાહસિક નવલકથાઓ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. તેમનું મૂળ નામ એલેક્ઝાન્ડર ડુમા ડેવીડી લા પેલેટરી. તેઓ એલેક્ઝાન્ડર ડુમા પેરે તરીકે પણ ઓળખાતા. તેમનો જન્મ વિલર્સ-કોટેરેટ્સ, પિકાર્ડી, ફ્રાન્સમાં થયો હતો. તેમની ઘણી […]

લેખ

વ્યક્તિ વિશેષ

ઈથિયોપિયા

દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં રાતા સમુદ્રને અડીને આવેલો પ્રાચીન પહાડી દેશ. તે ૯° ઉ. અ. અને ૩૯° પૂ. રે.ની આજુબાજુનો આશરે ૧૧.૩૦ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઈથિયોપિયાની ઉત્તરે ઇરિટ્રીઆ, ઈશાને જીબોટી, પૂર્વે સોમાલીઆ અને સોમાલીલૅન્ડ, દક્ષિણે કેન્યા, પશ્ચિમે સુદાન તેમજ નૈઋત્યે દક્ષિણ સુદાન દેશો સીમા ધરાવે છે. જીબોટી દેશ પાસે રાતો સમુદ્ર અને દક્ષિણે […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

બાબુભાઈ પ્રાણજીવન વૈદ્ય

જ. 23 જુલાઈ, 1909 અ. 12 ડિસેમ્બર, 1979 ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર બાબુભાઈ વૈદ્યનો જન્મ દ્વારકામાં થયો હતો. તેમના પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં થયું હતું. 1927-1930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો પણ વચ્ચે એક વર્ષ વડોદરાની કૉલેજમાં […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો