ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

કલમના કસબી અને વિશ્વપ્રવાસી ડૉ. ભારતી રાણે સાથે દીપ્તિ જોષીનો સંવાદ 15 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30

10 July 2026

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શતાબ્દીવંદના શ્રી નિરંજન ભગત : જીવન અને કવન વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 9 જુલાઈ, 2026, ગુરુવાર સમય : સાંજના 5-00

04 July 2026

વાચન સમૃદ્ધિ

જાગેલા રાજાનો ચુકાદો

ગ્રીસની ઉત્તરે આવેલા મેસિડોનિયાના રાજા અને ઍલેક્ઝાંડર(સિકંદર)ના પિતા ફિલિપ દ્વિતીય (ઈ. સ. પૂ. 382થી ઈ. સ. પૂ. 336) ગાદી પર આવ્યા પછી ગ્રીસનાં મોટા ભાગનાં રાજ્યો પર વિજય હાંસલ કર્યો. એક વાર સિકંદરના પિતા રાજા ફિલિપ ન્યાયાલયમાં બેસીને મુકદ્દમાને સાંભળતા હતા. બંને વ્યક્તિ પોતપોતાનો પક્ષ પ્રસ્તુત કરતી હતી. બન્યું એવું કે એમાંની પહેલી વ્યક્તિ જ્યારે […]

લેખ

પ્રસંગમાધુરી

જ્યોર્જ બિડેલ ઍરી

જ. 27 જુલાઈ, 1801 અ. 2 જાન્યુઆરી, 1892 વિવિધ વિષયોમાં પ્રવીણતા ધરાવનાર અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી જ્યોર્જ બિડેલ ઍરીનો જન્મ ઍલનવીક, નોર્ધમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ હેરફૉર્ડમાં અને ત્યારપછી કોલચેસ્ટર રૉયલ ગ્રામર સ્કૂલમાં લીધું. તેર વર્ષની વયે તેઓ ઘણી વાર તેમના કાકા આર્થર બિડેલને ત્યાં રહેવા જતા. ત્યાં કાકાના મિત્ર થોમસ કાર્લસનના પરિચયમાં આવ્યા. […]

લેખ

વ્યક્તિ વિશેષ

ઉઝબેકિસ્તાન

મધ્ય એશિયામાં આવેલો એક દેશ. તે ૩૭°થી ૪૮° ઉ. અ. અને ૫૬°થી ૬૮° પૂ. રે.ની વચ્ચેનો ૪,૪૭,૪૦૦ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે અને વાયવ્યે કઝાખિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાજિકિસ્તાન, જ્યારે દક્ષિણ અને નૈઋત્યે અફઘાનિસ્તાન અને તુર્કમેનિસ્તાન આવેલાં છે. તેની વસ્તી આશરે ૩.૯૦ કરોડ (૨૦૨૬ મુજબ) છે. વાયવ્યે આવેલ અરલ સમુદ્રની આસપાસનો […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

માલતીદેવી ચૌધરી

જ. 26 જુલાઈ, 1904 અ. 15 માર્ચ, 1998 ગાંધીવાદી વિચારક, સમાજસેવિકા અને લેખિકા માલતીદેવીનો જન્મ કૉલકાતામાં ઉચ્ચ મધ્યમ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કુમુદનાથ સેન બૅરિસ્ટર હતા અને માતા સ્નેહલતા લેખિકા. અઢી વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું. તેમની માતાએ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો અનુવાદ કર્યો હતો. માલતીદેવી 1921માં સોળ વર્ષની ઉંમરે શાંતિનિકેતનમાં જોડાયાં અને છ […]

લેખ

વ્યક્તિ વિશેષ

દેવભૂમિ દ્વારકા

સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણની યાદમાં આ જિલ્લાને દ્વારકા નામ અપાયું છે. આ જિલ્લામાં દ્વારકા, […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

એલિયાસ કાનેટ્ટી

જ. 25 જુલાઈ, 1905 અ. 14 ઑગસ્ટ, 1994 જર્મન ભાષામાં લખતાં સ્પૅનિશ સાહિત્યકાર એલિયાસ કાનેટ્ટીનો જન્મ બલ્ગેરિયાના રુસમાં થયો હતો. તેઓ છ વર્ષના હતા ત્યારે પરિવારે બલ્ગેરિયાથી આવીને ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં વસવાટ કર્યો હતો. 1912માં પિતાનું અવસાન થતાં તેમની માતા બાળકોને લઈને  વિયેના ગયાં. ત્યાંથી ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં પણ રહ્યા. તેઓ 1924માં વિયેના પાછા ફર્યા. 1929માં […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો