ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ

શ્રી રતિલાલ બોરીસાગરના પ્રમુખપદે નામાભિધાનકવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ માતૃભાષા સંવર્ધન કેન્દ્રઆ પ્રસંગે શ્રી અમર ભટ્ટ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાગીતોની પ્રસ્તુતિ કરશે તેમજ પ્રિયકાન્ત મણિયારનીજન્મશતાબ્દી નિમિત્તે કાવ્યાંજલિ અર્પણ કરશે1 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-30  

30 July 2026

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

કલમના કસબી અને વિશ્વપ્રવાસી ડૉ. ભારતી રાણે સાથે દીપ્તિ જોષીનો સંવાદ 15 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30

10 July 2026

વાચન સમૃદ્ધિ

દેહરાદૂન

ઉત્તરાખંડની શિવાલિક ગિરિમાળામાં દૂનની ખીણમાં આવેલો જિલ્લો તેમજ રમણીય ગિરિમથક. ‘દેહરાદૂન’ શબ્દ ‘દેહરા (દહેરા > ડેરા)’ અને ‘દૂન’ એ બે શબ્દોથી બન્યો છે. શીખગુરુ હરરાયના પુત્ર રામરાય દ્વારા સ્થાપિત ‘ડેરા’ સાથે આ નામને સંબંધ છે. આ ‘દેહરા’ને સંસ્કૃત ‘દેવગ્રહ’ સાથે તથા ‘દૂન’ને ‘દ્રોણિ’ (ઘાટી) શબ્દ સાથે સંબંધ હોવાનું ભાષાવિદો માને છે. આ ગિરિમથક માટે ‘દહેરાદૂન’ […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

જયદેવ

જ. 3 ઑગસ્ટ, 1918 અ. 6 જાન્યુઆરી, 1987 હિન્દી ફિલ્મજગતના વિદ્વાન સંગીતનિર્દેશક જયદેવ વર્માનો જન્મ કેન્યાના નાઇરોબીમાં થયો હતો. શિક્ષણ અપાવવા પિતાએ ભારતમાં સ્થળાંતર કર્યું અને વતન લુધિયાણામાં આવીને વસ્યા. જયદેવના મનમાં હિન્દી ફિલ્મોમાં હીરો બનવાનું સ્વપ્ન જાગ્યું. સંગીત પ્રત્યે પણ એટલો જ લગાવ હતો. પંદર વર્ષે ઘર છોડીને તેઓ મુંબઈ ચાલ્યા ગયા. ફિલ્મોમાં નસીબ […]

લેખ

વ્યક્તિ વિશેષ

અત્યાચારનો વિરોધ

રોમના પ્રસિદ્ધ સંત બાજિલનું હૃદય રોમન સમ્રાટના અત્યાચારોથી કકળી ઊઠ્યું. એનાથી ત્રાસેલી પ્રજા ડર, ભય અને દમનની બીકથી મૂંગી થઈ ગઈ હતી, ત્યારે એકલા સંત બાજિલે સમ્રાટના અત્યાચારોનો વિરોધ કર્યો. ભાંગીતૂટી ઝૂંપડીમાં સાદાઈથી વસતા આ સંતે પ્રજાને નિર્ભયતાથી સામનો કરવા માટે હાકલ કરી, ત્યારે સહુને એમ હતું કે સમ્રાટ આ સંતને પકડીને કારાવાસમાં ગોંધી રાખશે. […]

લેખ

પ્રસંગમાધુરી

જે. પી. વાસવાણી

જ. 2 ઑગસ્ટ, 1918 અ. 12 જુલાઈ, 2018 ‘દાદા વાસવાણી’ તરીકે વધુ જાણીતા ભારતીય આધ્યાત્મિક નેતા જશન પહલાજરાય વાસવાણીનો જન્મ હૈદરાબાદ, સિંધ, બ્રિટિશ ભારતમાં થયો હતો. તેમના પિતા પહલાજરાય હૈદરાબાદ ટ્રેનિંગ કૉલેજ ફોર ટીચર્સ સાથે કામ કરતા હતા અને અંતે કરાંચીની બધી જ પ્રાથમિક શાળાઓના સુપરવાઇઝર બન્યા હતા. તેમની માતા કૃષ્ણાદેવી તે દિવસોમાં અંગ્રેજી શિક્ષણનો […]

લેખ

વ્યક્તિ વિશેષ

ઉત્તરપ્રદેશ

વસ્તીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્ત્વનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૫૨´થી ૩૧° ૨૮´ ઉ. અ. અને ૭૭° ૦૩´થી ૮૪° ૩૯´ પૂ. રે.ની વચ્ચેનો ૨,૪૩,૨૮૬ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ રાજ્યની વસ્તી ૨૪.૭૦ કરોડ (૨૦૨૬) છે. ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે ઉત્તરપ્રદેશ આવે છે. આ રાજ્યની પશ્ચિમે […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

રવિશંકર મહાશંકર રાવળ

જ. 1 ઑગસ્ટ, 1892 અ. 9 ડિસેમ્બર, 1977 અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર ચિત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક રવિશંકર રાવળનો જન્મ ભાવનગરમાં થયો હતો. દસમા વર્ષે પિતાજી સાથે મહેસાણા આવ્યા અને નાનાં ચિત્રો બનાવવા લાગ્યા. ભાવનગરમાં ચિત્રકાર ભગવાનજીને ગુરુ બનાવ્યા. 1909માં મૅટ્રિક પાસ થયા. 1910માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં આર્ટસમાં અભ્યાસ કર્યો પણ 1911માં અભ્યાસ […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો