ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

એક વિશિષ્ટ આયોજન

વિષય : AIની ઓળખ આજે ચોતરફ AIની વાત થાય છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો,નોન ટૅક્નિકલ વ્યક્તિઓ, ગૃહિણીઓ અને ઉદ્યોગ સાહસિકોનેAI વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવશે.એનો ઉપયોગ અને મર્યાદાઓ સમજાવીને AI દ્વારા કઈ રીતે કન્ટેન્ટ બનાવી શકાય એનું માર્ગદર્શન આપશે. વક્તા : શ્રી અર્પણ યાજ્ઞિક શ્રી સંજય ચૌધરી 8 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-00થી 7.00

07 August 2026

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ

શ્રી રતિલાલ બોરીસાગરના પ્રમુખપદે નામાભિધાનકવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ માતૃભાષા સંવર્ધન કેન્દ્રઆ પ્રસંગે શ્રી અમર ભટ્ટ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાગીતોની પ્રસ્તુતિ કરશે તેમજ પ્રિયકાન્ત મણિયારનીજન્મશતાબ્દી નિમિત્તે કાવ્યાંજલિ અર્પણ કરશે1 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-30  

30 July 2026

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

વાચન સમૃદ્ધિ

ઉદયપુર

ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું મહત્ત્વનું શહેર – પ્રવાસધામ. તે ૨૪° ૩૫´ ઉ. અ. અને ૭૩° ૪૧´ પૂ. રે. પર ૨૫ ચોકિમી.ના વિસ્તારમાં વિસ્તરેલું છે. તે અરવલ્લીના પહાડો વચ્ચે સમુદ્રસપાટીથી આશરે ૬૦૦ મીટરની ઊંચાઈ પર વસેલું છે. તેનાં ભવ્ય ભવનો શ્વેત આરસમાં બાંધેલાં હોવાથી તેને ‘શ્વેત નગરી’ પણ કહેવામાં આવે છે. તે ‘વેનિસ ઑવ્ રાજસ્થાન’ તથા […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

કાર્લ રીટર

જ. 7 ઑગસ્ટ, 1779 અ. 28 સપ્ટેમ્બર, 1859 વિશ્વવિખ્યાત ભૂગોળવેત્તા, આધુનિક ભૂગોળના સંસ્થાપક તથા તુલનાત્મક ભૂગોળના જનક કાર્લ રીટરનો જન્મ જર્મનીના ક્વેડિંગબર્ગમાં થયો હતો. શાળાનું શિક્ષણ તેમણે ગોથા પાસે શુએફેન્થાલ ખાતે લીધું હતું. હાલે (Halle) યુનિવર્સિટીમાંથી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1821માં પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. શરૂઆતમાં તેમના પર જર્મન અને ફ્રેન્ચ દાર્શનિકોની વિચારસરણીનો પ્રભાવ […]

લેખ

વ્યક્તિ વિશેષ

દૈયડ (Magpie Robin)

ગુજરાતનું શ્રેષ્ઠ ગાયક પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Copsychus saularis. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Corvidae કુળમાં થાય છે. તેનું પેટા-કુળ છે : ગાયક (Turdinae). હિંદીમાં તેને દૈયડ અથવા દૈયા કહે છે. નર દૈયડ ઊજળો કાબરો એટલે કાળા અને ધોળા રંગનો હોય છે. તે હંમેશાં તેની પૂંછડી ઊંચી રાખીને ફરે છે. માદામાં કાળો રંગ […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ

જ. 6 ઑગસ્ટ, 1881 અ. 11 માર્ચ, 1955 પેનિસિલીનના આવિષ્કારક ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગનો જન્મ સ્કૉટલૅન્ડના લોકફિલ્ડમાં થયો હતો. તેઓ ખેડૂતપુત્ર હતા. તેમની 13 વર્ષની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થતાં તેઓ લંડનમાં પોતાના ભાઈ સાથે રહેવા ગયા. 1908માં તબીબીશાસ્ત્રની પરીક્ષા પાસ કરી અને એક વર્ષ બાદ તેઓ એફ.આર.સી.એસ. થયા. તેમણે પહેલા મહાયુદ્ધમાં બહુ સારી સેવા બજાવી હતી. […]

લેખ

વ્યક્તિ વિશેષ

નોટની જેમ હંમેશાં કીમતી

પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સીએટલે પોતાની સંઘર્ષગાથા અને સફળતાની વાત કરી, ત્યારે શ્રોતાજનોએ અપૂર્વ રોમાંચ અનુભવ્યો. એ પછી સીએટલે એમના વક્તવ્ય દરમિયાન જ ખિસ્સામાંથી પાંચસો ડૉલરની નોટ કાઢી અને શ્રોતાજનોને પૂછ્યું, ‘આ નોટ હું જમીન પર ફેંકી દઉં, તો તે લેવા માટે કેટલા લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈને દોડીને આગળ આવશે ?’ બધા શ્રોતાઓએ પોતાનો હાથ ઊંચો […]

લેખ

પ્રસંગમાધુરી

નીલ આર્મસ્ટ્રૉંગ

જ. 5 ઑગસ્ટ, 1930 અ. 25 ઑગસ્ટ, 2012 ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ નીલ આર્મસ્ટ્રૉંગનો જન્મ ઓહાયો, યુ.એસ.માં થયો હતો. તેઓ ઍસ્ટ્રૉનૉટ, ઍરોસ્પેસ એન્જિનિયર, નૌસેના અધિકારી અને પાઇલટ હતા. તદુપરાંત તેમણે પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. 16 વર્ષની વયે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમણે પર્ડુ (Purdue) યુનિવર્સિટીમાં વૈમાનિક […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો