ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

વિષય : વિદેશવાસી ગુજરાતીઓ: આકાંક્ષાઓ, પડકારો અને સિદ્ધિઓ વક્તા : પૂર્ણિમાબહેન ભટ્ટ (અમેરિકાની કૉલેજમાં ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર જેવા વષયોનાં પૂર્વઅધ્યાપિકા, ડાયસ્પોરા સાહિત્યનાં સંશોધક અને ગ્રંથલેખક) 28 જાન્યુઆરી 2026, બુધવાર, સાંજના 5-30

19 January 2026

વિવેચક અને સંશોધક શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની  | વક્તા : નટવર ગાંધી પ્રાસ્તાવિક : નીતિન શુક્લ 17 જાન્યુઆરી, 2026 | શનિવાર |  સાંજના 5-30

10 January 2026

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

ગુજરાતી વિશ્વકોશના પ્રણેતા અને સંપાદક પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરની પુણ્યસ્મૃતિએ વ્યાખ્યાન વિષય : જીવનલક્ષ્યની શોધમાં | વક્તા : પૂજ્ય શ્રી અક્ષરત્સલસ્વામી 24 જાન્યુઆરી 2026 | શનિવાર, સાંજના 5-30

10 January 2026

વાચન સમૃદ્ધિ

હેલિકૉપ્ટર

જમીન પરથી સીધું હવામાં ઉપર જઈ શકે અને હવામાંથી સીધું જ નીચે જમીન પર ઊતરી શકે તેવું હવાઈ જહાજ. હેલિકૉપ્ટર સામાન્ય વિમાન કરતાં કેટલીક રીતે અલગ છે. તે સામાન્ય વિમાન જેટલું ઝડપી હોતું નથી. તે ઘોંઘાટ વધુ કરે છે. વળી તે કદમાં નાનું હોવાથી તેમ જ તેને ઉડાણપટ્ટી(runway)ની જરૂર ન હોવાથી તે અનુકૂળ ઘાસિયા મેદાન […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

વસંતરાવ કપ્તાન

જ. 5 ફેબ્રુઆરી, 1905 અ. 25 સપ્ટેમ્બર, 1974 જાણીતા વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભવિદ્યાનગર)ના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક વસંતરાવનો જન્મ વડોદરામાં મરાઠી કુટુંબમાં થયો હતો. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તે પારંગત હતા. તેમણે પુણેના ડેક્કન જિમખાનામાં તથા વડોદરાના હિન્દવિજય જિમખાનામાં કુસ્તીનાં દંગલોમાં ભાગ લીધો […]

લેક

વ્યક્તિ વિશેષ

તુંગભદ્રા

દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની ઉત્તરે કુડલી પાસે 14° ઉ. અ. અને […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

બિરજુ મહારાજ

જ. 4 ફેબ્રુઆરી, 1938 અ. 17 જાન્યુઆરી, 2022 ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકના સરતાજ બિરજુ મહારાજ, લખનઉના ‘કાલકા-બિંદાદન’ ઘરાનાના વંશજ હતા. તેમણે તેમના પિતા અને ગુરુ જગન્નાથ મહારાજ (અચ્છન મહારાજ) અને કાકાઓ શ્રી લચ્છુ મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી નૃત્યની બારીકાઈઓ શીખી. બાળવયથી જ તેઓ પિતા સાથે નૃત્યની રજૂઆતોમાં જોડાતા. સાત વર્ષની ઉંમરથી તેમણે એકલા જ […]

લેખ

વ્યક્તિ વિશેષ

સૌથી મોટી પદવી

ઇંગ્લૅન્ડના સમ્રાટ જેમ્સે પોતાનો રાજભંડાર સમૃદ્ધ કરવા માટે એક નવી યુક્તિ અજમાવી. પ્રજા પાસેથી કર ઉઘરાવીને નાણાં એકત્ર કરવામાં લોકસમૂહના અસંતોષનો ભય સતાવે છે, કિંતુ એણે ધનિકો હોંશે હોંશે ધન આપે એવો નુસખો કર્યો. એ કોઈને ‘ડ્યૂક’ની પદવી આપવા લાગ્યા, તો કોઈને ‘લૉર્ડ’ બનાવવા લાગ્યા. આ પદવી માટેની રકમ પણ નક્કી કરી. અમુક રકમ આપે […]

લેખ

પ્રસંગમાધુરી

કૌમુદી મુન્શી

જ. 3 ફેબ્રુઆરી, 1929 અ. 14 ઑક્ટોબર, 2020 ગુજરાતી સુગમસંગીતને લોકપ્રિય બનાવનાર, કુંવર નંદલાલ મુન્શી અને અનુબહેન મુન્શીના છઠ્ઠા સંતાન તરીકે જન્મેલ કૌમુદી મુન્શીના દાદા માધવલાલ મુન્શી બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ મિન્ટોના સલાહકાર સમિતિના સભ્ય હતા અને મામા રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી સાહિત્યના ખૂબ જાણીતા લેખક હતા. દેખીતી રીતે જ ઘરમાં સાહિત્ય અને સંગીતનું વાતાવરણ હતું. […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો