ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય : મારા ગમતા ફિલ્મકાર પાયલ કાપડિયા : એમની વિશ્વદૃષ્ટિ અને બે ફિલ્મકૃતિઓ : મારી નજરે કલાસમીક્ષક : શ્રી અમૃત ગંગર Afternoon Clouds And What the Summer is Saying ? આ બે ફિલ્મકૃતિઓ ગુજરાત વિશ્વકોશમાં પ્રથમ વાર રજૂ થશે. પૅરિસમાં વસતા પાયલ કાપડિયાએ આ ફિલ્મકૃતિઓની ખાસ હાઈરેઝ કૉપીઓ આપી છે. 8 જૂન, 2026, સોમવાર, સાંજના 5.30

01 June 2026

શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત કાર્યક્રમ

ગુજરાતી સાહિત્યની અમર-પ્રશિષ્ટ કૃતિઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્રની સવા’  શતાબ્દીની ઉજવણી શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી 1. એકાંકી – `તમે તલવાર મ્યાન કરી’ (કુમુદસુંદરી અને અના કેરેનિનાનો તેમના લેખક સામે ખટલો) લેખક : હસિત મહેતા, દિગ્દર્શક : નિસર્ગ ત્રિવેદી, કમલ જોશી 2. ગાયન – `સરસ્વતીચંદ્ર’નાં ગીતો :  સંગીત – સુરેશ જોશી, મુંબઈ 3. ગોષ્ઠિ – પ્રશિષ્ટ નવલકથાઓ `સરસ્વતીચંદ્ર’ અને `ભદ્રંભદ્ર’  સંવાદ : […]

01 June 2026

શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી 

વિષય : 19મી અને 20મી સદીમાં લખાયેલી બે સ્ત્રીઓની આત્મકથા સમીક્ષા : મીનળ દવે 30 મે, 2026, શનિવાર, સાંજના 5-30

20 May 2026

વાચન સમૃદ્ધિ

આયુર્વેદ

રોગના ઉપચાર માટેનું ભારતનું અતિપ્રાચીન શાસ્ત્ર. જેમ ચાર વેદો છે તેમ ચાર ઉપવેદો છે. તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને દિવ્ય માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન મળી આવે છે. વેદોની રચના થઈ ત્યારથી આયુર્વેદ મળે છે. એમાં આવતા સંદર્ભો પરથી તે સમયે તૂટેલા […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

સતીશચંદ્ર મુખર્જી

જ. 5 જૂન, 1865 અ. 18 એપ્રિલ, 1948 શ્રી અરવિંદો ઘોષ સાથે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં અગ્રેસર સતીશચંદ્ર મુખર્જીનો જન્મ બાંદીપુર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. કૉલકાતાના ભવાનીપુરમાં દક્ષિણ ઉપનગરીય શાળાના વિદ્યાર્થી તરીકે, સતીશચંદ્રને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસેથી પ્રેરણા મળી હતી. 1886માં તેઓ પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને 1890માં તેમણે એમ.એ. અને બી.એલ.ની ડિગ્રી મેળવી અને […]

લેખ

વ્યક્તિ વિશેષ

દાલ સરોવર

જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર આવે ત્યારે સરોવર છલોછલ ભરાઈ જાય છે. શ્રીનગરના […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

ભગત પૂરન સિંહ

જ. 4 જૂન, 1904 અ. 5 ઑગસ્ટ, 1992 લેખક, પર્યાવરણવિદ અને સમાજસેવી ભગત પૂરન સિંહનો જન્મ લુધિયાણા જિલ્લાના રાજેવાલ(રોહનો)માં થયો હતો. પિતા છિબ્બૂમલ્લ અને માતા મેહતાબ કૌર. બાળપણનું નામ રામજીદાસ હતું, પરંતુ તેમણે શીખ ધર્મ અપનાવ્યા પછી તેમનું નામ પૂરન સિંહ રાખવામાં આવ્યું. પિતાના અવસાન પછી તેમને ભણાવવા માટે માતાએ ઘરકામ કર્યાં. તેમણે દસમા ધોરણથી […]

લેખ

વ્યક્તિ વિશેષ

યુવાનને સલાહ

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ (ઈ. સ. 1856થી ઈ. સ. 1950) એમના હાજરજવાબીપણા માટે જાણીતા હતા. ક્યારેક માર્મિક વ્યંગથી એ લોકોને ચમત્કૃત કરી દેતા હતા તો ક્યારેક વિનોદી વાતાવરણ સર્જી દેતા. આને પરિણામે એ સર્વત્ર લોકપ્રિય હતા. એમણે કરેલી ઘણી રમૂજો સમાજમાં પ્રચલિત હતી. આથી તેઓ જ્યાં જાય, ત્યાં લોકો […]

લેખ

પ્રસંગમાધુરી

જી. શંકર કુરૂપ્પ

જ. 3 જૂન 1901 અ. 2 ફેબ્રુઆરી 1978 પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક જી. શંકર કુરૂપ્પનો જન્મ કેરલમના નાયત્તોટ્ટ ગામમાં થયો હતો. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. બાળપણમાં પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા ગોવિંદ કુરૂપ્પે કર્યો હતો. તેમણે ત્રણ વર્ષની ઉંમરથી સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. આઠ વર્ષના […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો