ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

એક વિશિષ્ટ આયોજન

વિષય : AIની ઓળખ આજે ચોતરફ AIની વાત થાય છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો,નોન ટૅક્નિકલ વ્યક્તિઓ, ગૃહિણીઓ અને ઉદ્યોગ સાહસિકોનેAI વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવશે.એનો ઉપયોગ અને મર્યાદાઓ સમજાવીને AI દ્વારા કઈ રીતે કન્ટેન્ટ બનાવી શકાય એનું માર્ગદર્શન આપશે. વક્તા : શ્રી અર્પણ યાજ્ઞિક શ્રી સંજય ચૌધરી 8 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-00થી 7.00

07 August 2026

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠની પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ

શ્રી રતિલાલ બોરીસાગરના પ્રમુખપદે નામાભિધાનકવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ માતૃભાષા સંવર્ધન કેન્દ્રઆ પ્રસંગે શ્રી અમર ભટ્ટ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનાગીતોની પ્રસ્તુતિ કરશે તેમજ પ્રિયકાન્ત મણિયારનીજન્મશતાબ્દી નિમિત્તે કાવ્યાંજલિ અર્પણ કરશે1 ઑગસ્ટ, 2026, શનિવાર, સાંજના 5-30  

30 July 2026

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

મનુ પારેખ:  કલાકૃતિ  :માધવી પારેખકુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કારજાણીતા ચિત્રકાર : મનુ પારેખ અને માધવી પારેખનેપરિચય : નિસર્ગ આહીર25 જુલાઈ 2026, શનિવાર, સાંજના 5-30

22 July 2026

વાચન સમૃદ્ધિ

ઉદ્યાન

આંખોને સુંદર લાગે અને મનને આનંદ અને શાંતિ આપે તેવા ફૂલછોડ વગેરે આયોજનપૂર્વક વાવીને તૈયાર કરેલો હરવા-ફરવા ને બેસવા કે આરામ લેવા માટેનો ગામ કે નગરની અંદરનો કે આસપાસનો વિસ્તાર. આદિમાનવે જ્યારે ભટકતું જીવન બંધ કર્યું અને તે સ્થાયી વસવાટ ધરાવતો થયો ત્યારે તેના સામૂહિક વસવાટથી ગામ અને નગરો બન્યાં. તેથી કુદરતી સૌંદર્યનો નાશ થવા […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ

જ. 10 ઑગસ્ટ 1853 અ. 5 ડિસેમ્બર 1912 ગુજરાતી પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક ઇચ્છારામ દેસાઈનો જન્મ સૂરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમને વાંચનનો શોખ હતો. સત્તર વર્ષની વયે તેમણે પુરુષોત્તમ માસની કથા છપાવી હતી. તેઓ સૂરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં જોડાયા. ત્યાં બીબાં ગોઠવવાનું કામ કર્યું. તેઓ 1876માં મુંબઈ ગયા. ત્યાં […]

લેખ

વ્યક્તિ વિશેષ

દ્રાવિડ શૈલીનાં મંદિરો

દક્ષિણ ભારતમાં રચનામૂલક મંદિરસ્થાપત્યની શૈલી. ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીથી સાવ ભિન્ન આ શૈલીની શરૂઆત ઈ. સ. 600માં થઈ હતી. આ શૈલીની વિશેષતાઓમાં, લંબચોરસ આધાર ઉપર ચૈત્યની બારીના આકારવાળાં પિરામિડાકાર શિખરો, મંદિરને એક ઇમારત તરીકે બનાવવા કરતાં વિવિધ મંડપોના સમૂહ તરીકે બનાવવાનો અભિગમ, મંદિરની વચમાં ક્રિયાકાંડ માટે બનાવાતો કુંડ, મંદિરને ફરતી ઊંચી સંરક્ષણાત્મક દીવાલ અને […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

વિષ્ણુકુમાર વ્યાસ

જ. 9 ઑગસ્ટ 1920 અ. 29 સપ્ટેમ્બર 1998 ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા અને દિગ્દર્શક વિષ્ણુકુમાર વ્યાસનો જન્મ સૌરાષ્ટ્રના થાણા દેવળીમાં થયો હતો. પ્રસિદ્ધ કવિ ત્રિભુવન વ્યાસ તેમના કાકા હતા. પ્રારંભિક શિક્ષણ કરણસિંહજી મિડલ સ્કૂલમાં ને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યું. 1939માં મૅટ્રિક પાસ કર્યા પછી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ કર્યો. 1944માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. […]

લેખ

વ્યક્તિ વિશેષ

ખોટા સિક્કાનો ખપ નથી

અમેરિકાની વિખ્યાત ઑઇલ કંપનીના એક સમયના ડાયરેક્ટર પૉલ બ્રોન્ટોનની એ વિશેષતા હતી કે કોઈએ એમના જેટલા જુદી જુદી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લીધા નહોતા. એમણે જુદા જુદા વ્યવસાયને માટે સાઠ હજાર જેટલી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. આ અનુભવોને આધારે એમણે ‘નોકરી મેળવવાના છ રસ્તાઓ’ નામનું માર્ગદર્શક પુસ્તક પણ લખ્યું. એમની પાસે ઉમેદવારની પાત્રતા કે અપાત્રતા શોધી કાઢવાની […]

લેખ

પ્રસંગમાધુરી

ભીષ્મ સાહની

જ. 8 ઑગસ્ટ, 1915 અ. 11 જુલાઈ, 2003 હિન્દી સાહિત્યના લેખક અને અભિનેતા ભીષ્મ સાહનીનો જન્મ રાવલપિંડીમાં થયો હતો. 1937માં લાહોરની સરકારી કૉલેજમાંથી અંગ્રેજી ભાષામાં અનુસ્નાતક થયા હતા. ભારતના ભાગલા પછી તેઓ ભારતમાં આવ્યા. 1958માં ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1947માં રાવલપિંડીનાં રમખાણો સમયે તેમણે હિંદી રાષ્ટ્રીય મહાસભાના સક્રિય સભ્ય તરીકે શરણાર્થીઓના […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો