Gujarati Vishwakosh Trust Gujarati Vishwakosh Trust

| અમારા વિશે | વિવિધ કેન્‍દ્રોની કામગીરી

Print This Page

Print This Page

Mail This Page

Mail This Page

 

વિવિધ કેન્‍દ્રો

 

     ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટમાં વિવિધ કેન્‍દ્રો પણ કાર્યરત છે. શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ ‘માહિતી કેન્‍દ્ર’ દ્વારા કોઈને પણ માહિતી જોઈતી હોય તો મળી શકે છે. રોજ-બ-રોજ બનતી ઘટનાઓની તાત્કાલિક નોંધ આ કેન્દ્રમાં નોંધાઈ જાય છે. અને ગમે તે વ્‍યક્તિને જોઈતી હોય તો તત્કાળ તે માહિતી ઉપલબ્‍ધ થાય છે. ન્‍ટરનેટ ઉપરથી પણ માહિતી મેળવીને તે જે-તે વ્‍યક્તિને પૂરી પાડવામાં આવે છે.

શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ માહિતી કેન્‍દ્ર

     હરિઃ ૐ આશ્રમ સૂરત પ્રેરિત શ્રી મોટા સંશોધનકેન્‍દ્ર પણ કાર્યરત થયું છે. આ કેન્‍દ્રના ઉપક્રમે સંશોધનાત્મક પુસ્‍તકોનું કામ ચાલે છે. હમણાં જ આ કેન્‍દ્ર અંતર્ગત ‘હસ્‍તપ્રતવિજ્ઞાન’ પુસ્‍તક પ્રગટ થયું છે. આ પુસ્‍તકમાં હસ્‍તપ્રત વિશેની ભૂમિકાથી માંડી ભ્રષ્‍ટ પાઠોની સમસ્‍યાઓ અંગે માર્ગદર્શન આલેખાયું છે.

     શ્રીમતી હીરાલક્ષ્‍મી નવનીતભાઈ શાહ પ્રેરિત ધન્‍ય ગુર્જરી કેન્‍દ્ર પણ ચાલે છે. આશાપુરા ગ્રૂન્‍ડસ્ટ્રિઝના ચૅમૅનશ્રી નવનીતભાઈ શાહ જાણીતા ઉદ્યોગપતિ હોવાની સાથે-સાથે સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ રસ-રુચિ ધરાવે છે. તેમનાં ધર્મપત્‍નીની સ્મૃતિમાં આ કેન્‍દ્ર સ્‍થાપવામાં આવ્‍યું છે. આ કેન્‍દ્ર અંતર્ગત ગુજરાતનાં વિવિધ પાસાંઓ પર ૬૬ તજ્ જ્ઞોના અદ્યતન માહિતી આપતા લેખોનો સંચય પ્રગટ કરતું ‘ગુજરાત’ વિશેનુંદાર સચિત્ર પુસ્‍તક પ્રગટ થયું છે. તે પુસ્‍તક અંગ્રેજીમાં પણ ઉપલબ્‍ધ હોય તેવી માંગ વધતાં તેન ‘Gujarat’ એવા જ શીર્ષકથી અંગ્રેજીમાં પણ પ્રગટ કર્યું છે.

લલિતકલા કેન્‍દ્ર

     ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટ તરફથી સંગીત, નૃત્‍ય અને નાટકને અનુલક્ષીને લલિતકલા કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવી છે. આમાં જુદી-જુદી કલમોની પ્રસ્‍તુતિ ઉપરાંત એનાં વિશેની કાર્યશિબિરો યોજવામાં આવશે. વર્તમાન વિશ્વમાં એક કલા બીજી કલા સાથે ગાઢ સંપર્કમાં આવે છે ત્‍યારે કલાના પરસ્‍પરના આંતર સંબંધો વિશે પરિસંવાદ યોજવાનો ઉપક્રમ પણ રાખ્‍યો છે. ગુજરાતની કલારસિક પ્રજાને આવું કેન્‍દ્ર સાંપડે તે માટે ગુજરાતી વિશ્વકોશના માનદ સંપાદક ધીરુભા ઠાકર પાસેથી સબળ આર્થિક સહયોગ સાંપડ્યો છે. ૨૦૧૦ના જાન્‍યુઆરીથી આ કલાકેન્‍દ્રનાં ઉપક્રમે દર મહિને બે કાર્યક્રમો યોજવાનું નકકી કર્યું છે. લલિતકલા કેન્‍દ્રના ઉપક્રમે પ્રથમ કાર્યક્રમ શ્રી રમેશ પારેખનાં ગીતો ‘તમને ફૂલ દીધાનું યાદ’ શીર્ષકથી શ્રી અમર ભટ્ટે પ્રસ્‍તૃત કર્યાં. લલિતકલા કેન્‍દ્રનું ઉદ્દઘાટન જાણીતા સાહિત્‍યકાર પદ્મશ્રી ડૉ. ભોળાભા પટેલે બીજી જાન્‍યુઆરી ૨૦૧૦ ના રોજ કર્યું.

 
New Page 1
 
 
 

 

Gujarati Vishwakosh

 

Vishwa Vihar

 

Other Publication

 

© 2010 Gujarat Vishwakosh Trust, All Rights Reserved
Disclaimer | Privacy Policy

Home | Feedback | Contact us | Sitemap
Site Designed & Developed By Cybersurf