 |
|
શ્રી સાંકળચંદભાઈ પટેલ |
ગુજરાતની પ્રજાને તેની ભાષામાં
વિશ્વકોશ ઉપલબ્ધ થવો જ જોઈએ એવા સદાગ્રહ સાથે
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરનાર, અગ્રણી
સ્વાતંત્ર્યસેનાની, સહકારી પ્રવૃત્તિના અજોડ
પ્રવર્તક, નિર્ભીક અને. નિઃસ્વાર્થ લોકસેવક, દીન
દુઃખિયાનાં બેલી, અમીરીને ફકીરીરૂપે પચાવનાર અને
આધુનિક વિસનગરનાં શિલ્પી એવાં શ્રી સાંકળચંદભાઈ
પટેલનો જન્મ ૧૯૦૯માં વિસનગર ખાતે થયો. અભ્યાસ
માત્ર સાત ધોરણ સુધીનો. ૧૯૪૦માં પ્રજામંડળમાં
જોડાયા ત્યારથી તેમના જાહેર જીવનનો આરંભ થયો.
વડોદરા રાજ્યના ધારાસભ્ય તરીકે ચૂંટાયા, લોકસભામાં
ચૂંટાયા અને લોકસેવાના અનેક કાર્યો તેમણે કર્યા.
એક દાનવીર તરીકે તેમની ખ્યાતિ વીસનગરમાં પ્રસરેલી
છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે
જરૂરી આર્થિક સહાય આપીને અગસ્ત્ય કાર્ય કર્યું હતું. |