ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

વિશ્વસંસ્કૃતિપર્વ

શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી ઍવૉર્ડ અર્પણ સમારોહ સણોસરાની લોકભારતી યુનિવર્સિટીના ચન્સેલર શ્રી અરુણ દવેને | વક્તવ્ય : શ્રી રાજેન્દ્ર ખીમાણી, શ્રી નિરંજના કલાર્થી | 4 ડિસેમ્બર, 2025, ગુરુવાર : સાંજના 5-30

27 November 2025

વિશ્વસંસ્કૃતિપર્વ

3 ડિસેમ્બર 2025, બુધવાર સાંજના 5-30 | વિષય : ફિલ્મના વિષયવસ્તુમાં સર્જનાત્મકતા | વક્તા : જાણીતા ફિલ્મ પટકથાલેખક અને દિગ્દર્શક શ્રી અભિજાત જોશી | (`પીકે’, `લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મોના સંદર્ભમાં કરેલો સર્જનાત્મક વિચાર)

27 November 2025

વિશ્વસંસ્કૃતિપર્વ

(સ્થાપના : 2 ડિસેમ્બર, 1985) વિશ્વકોશ સ્થાપનાદિને જાણીતા સાહિત્યકાર અને વિવેચક શ્રી અશોક વાજપેયીનું કાવ્યપઠન અને ‘हमारा समय, हमारा साहित्य’ વિશે વક્તવ્ય | 2 ડિસેમ્બર, 2025, મંગળવાર સાંજના 5-30

27 November 2025

વાચન સમૃદ્ધિ

ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !

કબ્રસ્તાનમાં સૂતેલાં મુર્દાંઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એકબીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતાં છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાંઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી […]

લેખ

આજનો વિચાર

ચંદ્રલેખા

જ. 6 ડિસેમ્બર, 1928 અ. 30 ડિસેમ્બર, 2006 ભરતનાટ્યમની પારંપરિક શૈલીને આધુનિક સ્પર્શ આપનાર પ્રભાવશાળી નૃત્યકાર ચંદ્રલેખાનો જન્મ વાડા ગામ(મહારાષ્ટ્ર)માં થયો હતો. પિતા પ્રભુદાસ પટેલ અજ્ઞેયવાદી તબીબી અને માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેમનું બાળપણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીત્યું. ચંદ્રલેખાએ નાની વયથી જ અભ્યાસની સાથોસાથ નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું. શાળાના શિક્ષણ પછી તેમણે કાયદાનો અભ્યાસ […]

લેખ

વ્યક્તિ વિશેષ

તરતી હિમશિલા (iceberg)

તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફજથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય તો તેનો તળભાગ સમુદ્રજળમાં જેમ જેમ […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

વેર્નર હાઇઝન્બર્ગ

જ. 5 ડિસેમ્બર, 1901 અ. 1 ફેબ્રુઆરી, 1976 ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝન્બર્ગનો જન્મ વુર્ઝબર્ગ, જર્મનીમાં થયો હતો. 1920 સુધી તેમણે મ્યૂનિકની મેક્સમિલન શાળામાં અભ્યાસ કર્યો. મ્યૂનિક યુનિવર્સિટીમાં સોમરફિલ્ડ, વીન પ્રિન્ગશેઇમ અને રોઝેન્થલના માર્ગદર્શન હેઠળ ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1922-23માં ગોટિંગજનમાં ભૌતિકવિજ્ઞાનનો વધુ અભ્યાસ કર્યો. 1923માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની […]

લેખ

વ્યક્તિ વિશેષ

વૃક્ષને માટે દુઆ

અધ્યયન પૂર્ણ કરીને શિષ્ય રબ્બી નહમને પોતાના ગુરુ સંત રબ્બી ઇસાકને પોતાને માટે દુઆ માગવાનું કહ્યું, ત્યારે ગુરુ રબ્બી ઇસાકે પોતાના શિષ્યને એક કથા સંભળાવી. એમણે કહ્યું, ‘એક માનવી રણમાં સફર કરી રહ્યો હતો. એનું ભાથું તદ્દન ખૂટી ગયું હતું. હવે કરવું શું ? એ સમયે રણમાં સફર કરતી વખતે એની નજર એક સુંદર ફળવાન […]

લેખ

પ્રસંગમાધુરી

રમેશચંદ્ર મજુમદાર

જ. 4 નવેમ્બર, 1888 અ. 11 ફેબ્રુઆરી, 1980 ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી હતી. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી  પ્રાપ્ત કરી હતી અને ત્યાં વ્યાખ્યાતા તરીકે કામ પણ કર્યું હતું. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટીમાં […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો